Thursday, June 11, 2020

શિષ્ય ભરોસે સદગુરુ કે, નિર્ભય હો કે સોય.... અનહોની તો હોની હી નહીં... ફિર હોની સો હોય....

શિષ્ય ભરોસે સદગુરુ કે, નિર્ભય હો કે સોય....
અનહોની તો હોની હી નહીં... ફિર હોની સો હોય....
આ શબ્દોમાં સંતોનું સત છે.
બળ છે.
સંતોના શબ્દોનું બળ મને મળતું રહ્યું છે.
એ થકી જ જિંદગીનો મોટો પડાવ પાર કરી શક્યો છું.
અનેક સંતોના આશિષ હું પામ્યો છું.
યાદી લાંબી છે, પણ બાકી તમામની કૃપાને મેં આંખોમાં આંજી છે.
હવે નવા લક્ષ્યાંકો તરફ વધવાની વેળાએ તેમનો આભાર માનું છું.
સાથોસાથ યાચું છું કે,....
સદાય મારા પર કૃપા દ્રષ્ટિ રાખજો.
ભૂલથી પણ કોઈ ભૂલ થઈ જાય તો બાળક જાણી દરગુજર કરજો.
મારાં પ્રયત્નોને આપના અનુભવોરૂપી અમૃતનું પાન કરાવજો.
મારા જીવનસારથી બની માર્ગદર્શન કરજો.
રુદિયામાં શાંતિ અને મુખ પર સુખની કાંતિ દેજો.
આપને રાજી કરી શકું એટલું જ સામર્થ્ય આપજો.
રાજી રહેજો....
રાજી રહેજો....
બસ, રાજી રહેજો.
ગુરુજનોના આશીર્વાદ અને આપના સંગાથ સાથે,
ગુરુવારથી TV9 Gujarati પર કરી રહ્યો છું નવી શરૂઆત...
🙏🙏🙏🙏🙏જય ગુરુદેવ🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment