Tuesday, February 2, 2016

ધરતીની સર્વશ્રેષ્ઠ પ્રણયકથાની રાજધાની "દક્ષેશ્વર"

મારી યાત્રા...મારી કથા...
( ધાર્મિક સ્થાનોના દર્શન અને અનુભૂતિઓની જાત્રા)         
ધરતીની સર્વશ્રેષ્ઠ પ્રણયકથાની રાજધાની "દક્ષેશ્વર"   

    કનખલ. ધરતી પરનું એ સ્થાન જેની સાથે જોડાયેલી છે શિવભક્તોની વિશેષ આસ્થા. આ એ જ સ્થાન છે જેણે ધરતીને સર્વશ્રેષ્ઠ પ્રણયકથા આપી. આ એ જ સ્થાન છે  જ્યાં વૈરાગી શિવ.... સતીનું પાણિ ગ્રહણ કરી... સંસારી બન્યા. અને વળી, આ જ સ્થાનના લીધે.... તે સંસાર તો શું... ? સ્વયંનું દેવત્ત્વ પણ ત્યાગી બેઠા. 
            
          
    કનખલમાં સ્થાપિત છે વિશ્વનું સૌથી અનોખું શિવલિંગ. એવું શિવલિંગ જેના વિશે ભાગ્યે જ કદાચ તમે સાંભળ્યું હશે. ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે દેવાધિદેવનું આ સ્વરૂપ. કહેવાય છે કે મહેશ્વરનું આવું સ્વરૂપ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. હરિદ્વારમાં આવતા શ્રદ્ધાળુઓ મહેશ્વરના આ અનોખા રૂપના દર્શન કરી યાદ કરે છે એ કથાને, જેણે સૃષ્ટિને આપી એક ક્યારેય ન ભૂલાય એવી પ્રણયકથા.         
             
      દેવભૂમિના દ્વાર તરીકે પ્રસિદ્ધ છે હરિદ્વાર. હરિદ્વારથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે  કનખલ નામે એક નાનકડું ગામ. કહેવાય છે કે ભૂતકાળમાં આ સ્થાન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની રાજધાની હતી. આજે અહીં વિશાળ શિવમંદિર શોભાયમાન છે. જેનું નામ પણ સાંભળવા દક્ષ તૈયાર ન હતા, તે જ દક્ષની રાજધાનીમાં આજે થઈ રહી છે દેવાધિદેવની પૂજા. એ પણ દક્ષેશ્વરના જ નામે. એટલે કે દક્ષના જ ઈશ્વર તરીકે.


Must Watch Youtube Video On 'Daxhervar Mahadev'



1 comment:

  1. Watch Video On Daxsheshvar Mahadev
    https://www.youtube.com/watch?v=Vv_6DjqBEig&list=PLKEq5jWZWKm8c9-YeJ-q4lVkGxVwrJMzi&index=2

    ReplyDelete