Monday, November 21, 2016

અમૃતવાણીની સરવાણી - જય મા તોતડા ભવાની

જેના દર્શનમાત્રથી ફૂટી નિકળે અમૃતવાણી...
પ્રેમથી બોલો જય મા તોતડા ભવાની...

ETV ન્યૂઝ ગુજરાતી પર 'ધર્મભક્તિ' કાર્યક્રમની વિશેષ રજૂઆત,
" અમૃતવાણીની સરવાણી - જય મા તોતડા ભવાની "

મંગળવારે સવારે 7:30 કલાકે અને સાંજે 4:30 કલાકે
માત્ર ને માત્ર ઈ ટીવી ન્યૂઝ ગુજરાતી પર...

ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પથ - 'ધર્મભક્તિ'માં થઈ જાવ લીન

#dharmyatra #wednesday #dharm #bhakti
#jayeshparkar #etv #news #programme #gyan #path #morning #spiritual #show #gujarati
#yatra #temple #pooja #puja #dhoop #deep #totadamata, #tatadabhavani, #kalupur,
#rajamahetanipole, #ahmedabad, #chanibor, #amrutvani, #totadadevi, #sarvani,



-------------------


Saturday, October 22, 2016

.....ખેલૈયો......

જ્યાં ખુશીને શોધવા પણ ન જવી પડે...
યાચના વિના પોતાનામાં જ બધુ મળી રહે.
આપીને ખાલી થઈ ગયાનો વસવસો પણ ન હોય...
રોમ રોમ હોય પુલકીત...
દોમ દોમ હોય સાહબી...
ચહેરો ઉપર ન ચહેરો...
ન કોઈના ડરનો પહેરો...
દરેક રંગ પોતીકો...
હરેક સંગ થનગનતો...
.....ખેલૈયો......

...મારા અંતરમન અરીસો...

જયેશ પારકર

Tuesday, February 2, 2016

ધરતીની સર્વશ્રેષ્ઠ પ્રણયકથાની રાજધાની "દક્ષેશ્વર"

મારી યાત્રા...મારી કથા...
( ધાર્મિક સ્થાનોના દર્શન અને અનુભૂતિઓની જાત્રા)         
ધરતીની સર્વશ્રેષ્ઠ પ્રણયકથાની રાજધાની "દક્ષેશ્વર"   

    કનખલ. ધરતી પરનું એ સ્થાન જેની સાથે જોડાયેલી છે શિવભક્તોની વિશેષ આસ્થા. આ એ જ સ્થાન છે જેણે ધરતીને સર્વશ્રેષ્ઠ પ્રણયકથા આપી. આ એ જ સ્થાન છે  જ્યાં વૈરાગી શિવ.... સતીનું પાણિ ગ્રહણ કરી... સંસારી બન્યા. અને વળી, આ જ સ્થાનના લીધે.... તે સંસાર તો શું... ? સ્વયંનું દેવત્ત્વ પણ ત્યાગી બેઠા. 
            
          
    કનખલમાં સ્થાપિત છે વિશ્વનું સૌથી અનોખું શિવલિંગ. એવું શિવલિંગ જેના વિશે ભાગ્યે જ કદાચ તમે સાંભળ્યું હશે. ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે દેવાધિદેવનું આ સ્વરૂપ. કહેવાય છે કે મહેશ્વરનું આવું સ્વરૂપ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. હરિદ્વારમાં આવતા શ્રદ્ધાળુઓ મહેશ્વરના આ અનોખા રૂપના દર્શન કરી યાદ કરે છે એ કથાને, જેણે સૃષ્ટિને આપી એક ક્યારેય ન ભૂલાય એવી પ્રણયકથા.         
             
      દેવભૂમિના દ્વાર તરીકે પ્રસિદ્ધ છે હરિદ્વાર. હરિદ્વારથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે  કનખલ નામે એક નાનકડું ગામ. કહેવાય છે કે ભૂતકાળમાં આ સ્થાન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની રાજધાની હતી. આજે અહીં વિશાળ શિવમંદિર શોભાયમાન છે. જેનું નામ પણ સાંભળવા દક્ષ તૈયાર ન હતા, તે જ દક્ષની રાજધાનીમાં આજે થઈ રહી છે દેવાધિદેવની પૂજા. એ પણ દક્ષેશ્વરના જ નામે. એટલે કે દક્ષના જ ઈશ્વર તરીકે.


Must Watch Youtube Video On 'Daxhervar Mahadev'



Sunday, January 31, 2016

દેવભૂમીનું આંગણું - ઋષિકેશ

                                            મારી યાત્રા...મારી કથા...
                        ( ધાર્મિક સ્થાનોના દર્શન અને અનુભૂતિઓની જાત્રા)

             
દેવભૂમી ઋષિકેશમાં ગંગાના પાવન નીરમાં.... શ્રદ્ધાનું  સ્નાન
          દેવભૂમી ઉત્તરાખંડના દ્વાર તરીકે હરિદ્વાર પ્રસિદ્ધ છે જ્યારે ઋષિકેશ ઓળખાય છે સાક્ષાત દેવભૂમી તરીકે. કેટલાંક તેને દેવભૂમીનું આંગણું પણ કહે છે. કારણ કે, આ જ સ્થાન પરથી થાય છે. અત્યંત કલ્યાણકારી મનાતી  ચારધામની યાત્રાનો પ્રારંભ. જીવને શિવમાં એકરૂપ કરતી અનંત તરફની જાત્રાનો પ્રારંભ. અનેક ઋષિઓના તપથી પાવન થયેલી આ ધરા પર તમને જોવા મળશે બસ, ભક્તિનો રંગ, આસ્થાનો રંગ અને સત્સંગ.

Click here for the video
https://www.youtube.com/watch?v=lpm42bxIQ0E&list=PLKEq5jWZWKm8c9-YeJ-q4lVkGxVwrJMzi&index=3