
રામદેવ બાબાના બદલાયા છે યોગ.
જાણે કે શરૂ થયો છે વિવાદયોગ.
યોગાસનને બદલે રાજકીય સિંહાસન પર આરૂઢ થવાના જાણે જાગ્યા છે અભરખા.
વારંવાર ભ્રષ્ટાચારના મામલે નિવેદનો કરીને કરતા રહ્યા કોંગ્રેસના ઊંચા શ્વાસ.
પણ
રામદેવ બાબાની સંપત્તિને લઈને જ્યારે દિગ્વિજયસિંહે બદલી ભાવમુદ્રા.
તો
એકશ્વાસે બોલ્યા રામદેવ : 'કોંગ્રેસના નેતાઓની સંપત્તિની તપાસ કરાવો પહેલા.'
'નેતા અને સંતની સંપત્તિની તપાસ માટે એક જ કાનુન' - હજુ તો કોંગ્રેસે કરી વાત.
તો,
'બાબા પર હુમલો તમને પડશે ભારે' એવી ભાજપે વરસાવી ગાજ.
લ્યો તારે...
શરૂ થઈ ગઈ સંત અને બોલવામાં શૂરા નેતાઓની તૂં તૂં મેં મેં.
બાબા રે બાબા !!!
પણ કોણ દેશે આ સવાલોના જવાબ : ??????????????????????????????????
- કંચન અને કામિનીથી દુર રહેતા સંત પાસે વળી માંગવો પડે હિસાબ ?
- અધધધ 1100 કરોડથી પણ વધારે સંપત્તિ શા માટે છે બેહિસાબ ?
- 'સંપત્તિ તો ટ્ર્સ્ટની છે' પણ સંત, શું ટ્ર્સ્ટથી રહી શકશે અળગા ?
- વધુ સંપત્તિ હોય તેને જ સ્વીસ એકાઉન્ટની જરૂર પડે ને ! ભલેને ઉછળતા શ્વાસ, પણ આપી શકશો જવાબ ?
- સંતના મુખે યોગાસનને બદલે સિંહાસનનું વાકયુદ્ધ શા માટે ?
- એક પક્ષના પ્રવક્તા કે બીજા પક્ષ પર વરસતા શું એને જ કહેવાય સંત?
બાબા રે બાબા !!!
યોગાસનના ગુરુ કે સિંહાસનના ગુરુ !!!
શું તમારા મનમાં નથી ઉઠતા આ સવાલ ?